Advertisement

Gujarat Chhatralay Bharti 2024: ગુજરાતની છાત્રાલયમાં ગૃહપતિ, ગૃહમાતા, રસોયા તથા ચોકીદાર માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Gujarat Chhatralay Bharti 2024: ગુજરાતની છાત્રાલયમાં ગૃહપતિ, ગૃહમાતા, રસોયા તથા ચોકીદાર માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

Gujarat Chhatralay Bharti 2024 । ગુજરાત છાત્રાલય ભરતી 2024

સંસ્થાઉકાઈ નવનિર્માણ સમિતિ
પદવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ10 ઓક્ટોબર થી 19 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://www.kviconline.gov.in/

મહત્વની તારીખો:

ગુજરાત છાત્રાલયના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 10 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.

પદોના નામ:

ગુજરાત છાત્રાલયની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા મદદનીશ ગૃહપતિ, મુખ્ય ગૃહમાતા, મદદનીશ ગૃહમાતા, મદદનીશ રસોયા, રસોયાનોકર તથા ચોકીદારની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.

અરજી ફી:

શેક્ષણિક છાત્રાલયની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

વયમર્યાદા:

છાત્રાલયની આ ભરતીમાં જાહેરાતમાં જરૂરી વયમર્યાદાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેથી શક્ય છે કે આ ભરતીમાં તમામ વયના ઉમેદવારો અરજી કરી શકે છે. વયમર્યાદાની માહિતી તમે સંસ્થાનો સંપર્ક કરીને પણ જાણી શકો છો.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. લાયકાતની સંપૂર્ણ માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પદનું નામશેક્ષણિક લાયકાત
મદદનીશ ગૃહપતિકોઈપણ સ્નાતક
મુખ્ય ગૃહમાતાકોઈપણ સ્નાતક
મદદનીશ ગૃહમાતાકોઈપણ સ્નાતક
મદદનીશ રસોયાધોરણ-08 પાસ
રસોયાનોકરધોરણ-08 પાસ
ચોકીદારધોરણ-08 પાસ

પસંદગી પ્રક્રિયા:

શેક્ષણિક વિભાગની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય કોઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીને પણ ઉમેદવારનું સિલેક્શન કરી શકે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂ/પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

પગારધોરણ:

ભરતીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને સરકારશ્રીના નિયમમુજબના ધારાધોરણ અનુસાર ફિક્સ વેતન ચુકવવામાં આવશે.

અરજી પ્રક્રિયા:

  • આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • જો તમે લાયકાત ધરાવો છો તો અરજી ફોર્મ સાથે માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો. તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે કવર ઉપર ખાસ લખવું.
  • હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના પોસ્ટના માધ્યમથી સંસ્થાનાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
  • અરજી પહોચડવાનું સરનામું – પ્રમુખશ્રી, ઉકાઈ નવનિર્માણ સમિતિ, સોનગઢ 3એ 21 દશેરા કોલોની ફોર્ટ- સોનગઢ, જી- તાપી – 394670 છે.

આવેદન કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.

Post a Comment

0 Comments

एडवरटाइज हटाएं यहाँ क्लिक करें